મંગળવાર, 12 જૂન, 2012

PREM

મહાભારતમાં એક કથા આવે છે. આ વાર્તા છે રાજા નળ અને તેમની પત્ની દમંયતી.આ કથા આપણને બતાવે છે કે પ્રેમને કોઇ શબ્દ અને ભાષાની જરૂરિયાત હોતી નથી. પ્રેમ માત્ર નજરોની ભાષાથી પણ વાંચી શકાય છે.

મહાભારતમાં રાજા નળ અને દમંયતીની વાર્તા કંઇક આ પ્રકારે છે. નળ નિષધ રાજ્યનો રાજા હતો ત્યાં જ વિદર્ભ રાજા ભીમકની છોકરી દમંયતીની. જે લોકો આ બન્ને રાજ્યોની યાત્રા કરતા તે રાજા નળની સામે દમંયતીના રૂપના અને ગુણોની પ્રશંસા કરતા તો દમંયતીની સામે રાજા નળની વીરતા અને સુંદરતાનું વર્ણન કરતા. બન્ને એકબીજાને મળ્યા વગર જ પ્રેમ કરવા લાગ્યા, એક દિવસ રાજા નળે દમંયતીને પત્ર લખ્યો. દમંયતીએ તેમને પોતાના સ્વંયવરમાં આવવાનું આમંત્રણ આપ્યું.

દરેક દેવતા પણ દમંયતીના રૂપ- સૌદર્યથી પ્રભાવિત હતાં. જ્યારે રાજા નળ રાજ્ય માટે જઇ રહ્યા હતા ત્યારે દરેક દેવતાઓએ તેમને રસ્તામાં જ રોકી લીધા અને સ્વયંવરમા ના જવા માટે જાત- જાતના અનુરોધ પણ કર્યા જેથી નળ રાજા દમંયતીથી લગ્ન ના કરે. પરંતુ નળ ના માન્યા. દરેક દેવતાઓએ ઉપાય અજમાવ્યો જે પ્રમાણે દરેક દેવતાઓએ નળ રાજાનું રૂપ લઇને વિદર્ભ પહોંચ્યા. સ્વયંવરમાં નળ જેવા ઘણા ચહેરા દેખાયા. દમયંતી હેરાન થઇ ગઇ. અસલી નળને કેવી રીતે ઓળખવો. તે વરમાળા લઇને આગળ વધી, તેણીએ માત્ર સ્વંયવરમાં આવેલા સૌની આંખોમાં એક પછી એક નિરિક્ષણ કરવા લાગી.

પરંતુ દમંયતીએ રાજા નળ જેવો પ્રેમભાવ કોઇની આંખોમાં ના જોયો અને તેણીએ અસલી નળ રાજાને વરમાળા પહેરાવી. દરેક દેવતાએ પ્રેમની પ્રશંસા કરી.

કથા સમજાવે છે કે ચહેરા અને ભાષાથી પર કાંઇ હોતુ નથી. જો પ્રેમ સાચ્ચો હોય તો તે આંખોથી જ છલકાશે. તેને પ્રદર્શિત કરવાની જરૂર રહેતી નથી. પ્રેમની ભાષાને મૌનમાં વધારે તેજ હોય છે.

1 ટિપ્પણી: