શનિવાર, 9 જૂન, 2012

જુઠું બોલો પણ આવું

आदौ राम तपोवनादि गमनं, हत्वा मृगं कांचनं
वैदेही हरणं, जटायु मरणं, सुग्रीव संभाषणं
बाली निर्दलं, समुन्द्र तरणं, लंकापुरी दाहनं
पश्चाद्रावण-कुम्भकरण हननं, एतद्धि रामायणं
– एकश्लोकी  रामायण
दूरस्था: पर्वता: रम्या: वेश्या: च मुखमण्डने |
युध्यस्य तु कथा रम्या त्रीणि रम्याणि दूरत: ||
અર્થાત: ડુંગરા દૂરથી રળિયામણા લાગે છે. વેશ્યા જયારે લાલી લગાવે ત્યારે દૂરથી બહુ  સુંદર દેખાય છે. યુદ્ધની વાતો સંભાળવામાં બહુ દિલચસ્પ લાગે છે.  હકીકત તો એ છે કે આ ત્રણે વસ્તુઓ દૂરથી સારી લાગે છે, જો જોઈ
प्राणात्यये विवाहे वकत वयमनृतं  भवेत् |
सर्व स्वस्यापहारे च वकतव्यमनृतं भवेत् ||
– આદિ પર્વ, મહાભારત
અર્થાત “વિવાહ, રતિક્રીડા , પ્રાણ સંકટના  સમય પર , સર્વસ્વ લૂંટાવાના વખતે , બ્રાહ્મણનાં નિમિત્તે , તથા બ્રાહ્મણનાં રક્ષણ માટે જૂઠું બોલવામાં પાપ નથી.
શાસ્ત્રો મુજબ આઠ અવસરે જુઠ્ઠું બોલવામાં કોઈ દોષ નથી
  • લગ્ન પ્રસંગે , વર-વધુના  ખોટા વખાણ કરવામાં દોષ નથી
  •  હાસ્ય-વિનોદના પ્રસંગ વખતે જો ખોટું બોલાય તો એ વાતનો દોષ નથી.
  • પ્રાણ પર સંકટ આવે  ત્યારે જો અસત્ય બોલવાથી પ્રાણ બચી જતા હોય ત્યારે તેમ કરવામાં કોઈ દોષ નથી.
  • ગૌ-રક્ષાના પ્રસંગ સમયે અસત્ય બોલવામાં કોઈ દોષ નથી.
  • જો કોઈ બ્રાહ્મણ વિપત્તિમાં હોય અને અસત્ય બોલવાથી જો તેની વિપત્તિનો નાશ થતો હોય તો અસત્ય બોલવામાં કોઈ દોષ નથી.
  • આપણા અસત્ય બોલવાથી કો અન્યના પ્રાણ બચી જતા હોય ત્યારે તેમ કરવામાં કોઈ દોષ નથી.
  • સ્ત્રીને પ્રસન્ન કરવામાં ખોટું બોલવું પડે તો એમ કરવામાં દોષ નથી
  • વ્યાપાર-ધંધા  ખોટ કે આજીવિકા જતી રહેવાનું સંકટ આવે ત્યારે સત્ય છુપાવામાં  કોઈ દોષ નથી.


હસમુખ ગઢવી ના જય માતાજી
જય સોનલ માં 
(09158880792) MH.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો